Advertisement
Author: નોબત સમાચાર

શ્રી દ્વારકાધીશ મંદિર-બેટમાં શ્રી ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર

ફૂલડોલ ઉત્સવ અને દ્વિતીય પાટોત્સવ નિમિત્તે

દ્વારકા તા. ૬: શ્રી દ્વારકાધીશજી મંદિર-બેટમાં ફૂલડોલ ઉત્સવ તથા દ્વિતીય પાટોત્સવ નિમિત્તે શ્રી ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે,જેમાં તા. ૧૪/૩ ના સવારે ૧૧-૩૦ થી ૧ર શ્રી ઠાકોરજીના ડોલોત્સવના દર્શન રાખવામાં આવ્યા છે.

તા. ૧પ/૩ ને શનિવારે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે સવારે ૭-૩૦ વાગ્યે મંગલા આરતી, ૮ વાગ્યે મોર આરતી, ૧૧-૩૦ વાગ્યે શ્રૃંગાર આરતી, ૧ર વાગ્યે મધ્યાન આરતી, બપોરે ૧ વાગ્યે મીઠાજળ, સાંજે ૪-૩૦ વાગ્યે શ્રી ઠાકોરજીના ઉત્થાપન, રાત્રે ૮ વાગ્યે શયન થશે. સર્વે ભક્તજનોને ઉપરોક્ત બાબતની નોંધ લેવા ઈન્ચાર્જ વ્ય્વસાયક (શ્રી બેટ દેવસ્થા સમિતિ) દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh