Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતાએ પોલીસને જાણ કરીઃ
જામનગર તા.૬ : કાલાવડના રીનારી ગામની સીમમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ જુનાગઢ જિલ્લાના કડાયા ગામના યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા પછી તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.
કાલાવડ તાલુકાના રીનારી ગામની સીમ વિસ્તારમાં વસવાટ કરતા મૂળ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કડાયા ગામના વતની અભિષેક દોલુભાઈ બાબરીયા નામના સત્યાવીસ વર્ષના યુવાન ગઈ તા.૬ ડિસેમ્બરની બપોરે પોતાના રહેણાંક પાસે હતા ત્યારે ચક્કર આવતા બેભાન બની ગયા હતા.
આ યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અભિષેક બાબરીયાનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા અને હાલમાં રીનારી ગામની સીમમાં ખેત મજૂરી કરતા દોલુભાઈ ભીખુભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial