Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચકુંડીયજ્ઞ, મહારાસ-મહાપ્રસાદ, રાત્રે લોકડાયરોઃ
જામનગર તા. ૬: જામનગરના વિભાપરમાં જય વછરાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા ગૌસેવા અને લોકજાગૃતિ અર્થે આજે ગૌધુલી મહાસંગ્રામ ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં ૮૦૦ થી વધુ નિરાધાર, બીમાર, અપંગ ગૌમાતાની સેવા સારવાર કરવામાં આવે છે. આજે તા. ૬/૩ ના સવારે પંચકુંડી યજ્ઞ યોજાયો હતો. બપોરે ૩ વાગ્યે મહારાસ યોજાશે તથા સાંજે પાંચ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે રાત્રે ૯ વાગ્યે રાજભા ગઢવી, કિરણબેન ગજેરા, રાજદાન ગઢવી, સુરેશ પટેલ વગેરે કલાકારોનો લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં સંત મહંતશ્રી ઉમેશગીરી બાપુ, હરિપર (ચ્યાવા) આશ્રમ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો પૂનમબેન માડમ (સંસદસભ્ય, જામનગર), રાઘવજીભાઈ પટેલ (ગુજરાત રાજ્ય કૃષિ મંત્રી), આર.સી. ફળદુ (પૂર્વ કેબિનેટ મંત્રી), દિવ્યેશભાઈ અકબરી (ધારાસભ્ય), રિવાબા જાડેજા (ધારાસભ્ય), રમેશભાઈ મુંગરા (જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ), ડો. વિમલભાઈ કગથરા (જામનગર શહેર ભાજપ અધ્યક્ષ), ચંદ્રેશભાઈ પટેલ (પૂર્વ સાંસદ જામનગર), ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય), મનસુખભાઈ રાબડિયા (પ્રમુખ, લેઉવા પટેલ સમાજ જામનગર), જીતુભાઈ લાલ (અખિલ ગુજરાત લોહાણા સમાજ પ્રમુખ), ઉમેશકુમાર જૈન (સેન્ચ્યુરી કેમિકલ્સ મીઠાપુર), પી.બી. વસોયા (પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ) અને દિનેશભાઈ ડાંગરિયા (જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન પ્રમુખ) ઉપસ્થિત રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial