Advertisement
Author: નોબત સમાચાર

દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં મદદગારી કરનાર બે આરોપીના થયા જામીન મંજૂર

સગીરાનું કરાયું હતું અપહરણઃ

જામનગર તા.૬ : જામનગરની એક સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ તથા તેના પિતા તથા ભાઈની પોલીસે મદદગારીમાં ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપી પૈકીના પિતા તથા ભાઈએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામનગરના એક ૫રિવાર ની સવા સોળ વર્ષની સગીર પુત્રીનું લગ્નની લાલચ આપી અપહરણ કરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તેની તપાસમાં પોલીસે ઈબ્રાહીમ ઉર્ફે અભલી સલીમ રાઠોડ તથા તેના પિતા સલીમ ઈબ્રાહીમ રાઠોડ, ભાઈ ઈશાક સલીમની ધરપકડ કરી હતી.

આ સગીરા પર ઈબ્રાહીમ સલીમે દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે બાકીના બે આરોપીએ મદદગારી કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આરોપી પૈકીના સલીમ ઈબ્રાહીમ તથા ઈશાક સલીમ રાઠોડે જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે બંનેને રૂ.૧૫ હજારના એક એવા બે જામીન રજૂ કર્યે મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલકાણ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh