Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આંખના દર્દીઓ માટે વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞનો કેમ્પ

આગામી તા. ૮ માર્ચના શનિવારે

જામનગર તા. ૬: જામનગરના ઓશવાળ વેલ્ફેર ચેરી. ટ્રસ્ટ, કેન્સર કેર કાઉન્સિલ અને રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે નેત્રમણી, નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)ના કેમ્પનું આયોજન આગામી તા. ૮-૩-૨૦૨૫ (શનિવાર)ના સવારે ૯-૩૦ થી ૧૨-૩૦ વાગ્યા દરમ્યાન પવનચકકી, જિલ્લા જેલ સામે, જામનગરમાં કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં શ્રી સદગુરૂ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ હોસ્પિટલમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે અને ઓપરેશન બાદ દર્દીને કેમ્પના સ્થળે મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીને રહેવા-જમવા સાથે, શીરો, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા-ટીપાં તથા ધાબળા નિઃશુલ્ક આપવામાં આવશે.

આ નેત્રયજ્ઞ કેમ્પનો જરૂરિયાતમંદોએ લાભ લેવા ઓશવાળ વેલફેર ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટી કીર્તિભાઈ દોઢિયા તથા કેન્સર કેર કાઉન્સીલના પ્રમુખ વિઠ્ઠલભાઈ ધોળકીયાએ અનુરોધ કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh