Advertisement
Author: નોબત સમાચાર

કરોડો રૂપિયાની કન્યા છાત્રાલયની મિલકતમાં વિલંબ માફની અરજી નામંજૂર

વિશા ઓશવાળ એજ્યુ. એન્ડ રીલીફની અરજી હતીઃ

જામનગરના મહાજન સમાજની અંદાજે રૂ.૧૦૦ કરોડની બજાર કિંમતવાળી કન્યા છાત્રાલયની જગ્યા અંગે વિશા ઓશવાળ એજ્યુકેશન એન્ડ રીલીફ સમિતિ વતી એક હોદ્દેદારે કરેલી વિલંબ માફની અરજી નકારવામાં આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી મહાજન સમાજની કન્યા છાત્રાલયવાળી જગ્યા જેની હાલમાં અંદાજિત બજાર કિંમત રૂ.૧૦૦ કરોડ ગણાય છે. તે મિલકત અંગે જામનગરની વિશા ઓશવાળ એજ્યુકેશન એન્ડ રીલીફ સમિતિ વતી જીનેશ ફૂલચંદ શાહે જામનગર ના નાયબ કલેકટર સમક્ષ વિલંબ માફ કરવા અંગે અરજી કરી હતી.

આ અરજી સામે પ્રતિવાદી પક્ષના ઓતમચંદ શાહના વકીલે વાંધો લીધો હતો. તે અંગે બંને પક્ષ દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી નાયબ કલેકટરે જીનેશ ફૂલચંદ શાહની વિલંબ માફની અરજી નકારી કાઢી છે. પ્રતિવાદી ઓતમચંદ શાહ તરફથી જાણીતા વકીલ હેમલભાઈ ચોટાઈ, વી.એચ. બક્ષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh