Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૩૦ ના રવિવારે જામનગરમાં
જામનગર તા. ર૭ઃ જામનગરના વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા બાવીસમો વિદ્યાર્થી સન્માન સમારંભ તા. ૩૦ ના રવિવારે સાંજે ૪-૩૦ વાગ્યાથી વિશ્વકર્મા બાગ, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, રેલવે સ્ટેશન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ સાથે સાંજે પ વાગ્યે રક્તદાન કેમ્પ અને રાત્રે ૮ વાગ્યાથી સમૂહજ્ઞાતિ પ્રીતિભોજન રાખવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પાસે ભરેલા ફોર્મની કાપલી હશે તેમને જ ઈનામ આપવામાં આવશે. આથી કાપલી સાથે લાવવી ફરજિયાત છે.
આ તકે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ અશોકભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન મનિષભાઈ સરવૈયા અને મંત્રી રાજેશભાઈ ઉનાગડ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial