Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી

કલ્યાણપુર તાલુકાની ૭૦ જેટલી સહકારી મંડળીઓ દ્વારા

                                                                                                                                                                                                      

ભાટિયા તા. ર૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ સાલે નહીંવત્ વરસાદ પડવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કલ્યાણપુર તાલુકાની સેવા સહકારી અને ખરીફ વેંચાણની ૭૦ જેટલી મંડળીઓએ સામૂહિક રીતે જોડાઈને મામલતદારને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી છે.

ખેડૂતોના દેવા માફ કરવા, તાકીદે ઘાસ વિતરણના કેન્દ્રો શરૂ કરવા, સૌની યોજનાનું પાણી છોડવાની માંગણી કરવામાં આવી છે.

આ આવેદનપત્ર સુપરત કરવામાં ભાટિયા માર્કેટ યાર્ડના ડાયરેક્ટર રાજાભાઈ પોસ્તરિયા, પીઠાભાઈ વારોતરિયા, જગદીશભાઈ ડેર, કરસનભાઈ ભોચિયા, ભાયાભાઈ હાથલિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ગજુભા જાડેજા વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh