Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના મિલન રેસ્ટોરન્ટમાં આગથી અફરાતફરીનો માહોલ

ખંભાળીયા તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક જામખંભાળીયાના ચારરસ્તા ચોક સ્થિત રેસ્ટોરન્ટમાં ગઈકાલે આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયરબ્રીગેડ શાખાનો સ્ટાફ દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.

ખંભાળીયાના મિલન રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે અકસ્માતે આગ લાગી હતી. આ સમયે લોકોના ટોળા એકત્ર થયા હતાં. બનાવ અંગેની જાણ થતા જ ફાયરબ્રીગેડનો સ્ટાફ પાણીના ટેન્કર સાથે આવી પહોંચ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. પરંતુ રેસ્ટોરનટના મુખ્ય દરવાજા પાસેની આગનું કારણ જાહેર થયું નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh