Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કા પાટીયે પરપ્રાંતીય યુવાનનો ગળાફાંસોઃ
જામનગર તા.૧૪ : જામનગરના સિક્કા પાટીયા પાસે એક ઓરડીમાં વસવાટ કરતા પશ્ચિમ બંગાળના એક યુવાને ગઈકાલે અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે ખંભાળિયાના દાતા ગામના એક પ્રૌઢાએ કોરાના કાળમાં પતિના થયેલા નિધન પછી માનસિક આઘાત લાગી આવતા ગઈકાલે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાે છે.
જામનગર-ખંભાળિયા રોડ પર સિક્કા પાટીયા પાસે આવેલી રાજ એન્ટરપ્રાઈઝ નામની પેઢીની ઓરડીમાં વસવાટ કરતા મૂળ પશ્ચિમ બંગાળના માધબપુર ગામના વતની મુકેશભાઈ માહીમા સિંધા (ઉ.વ.૩૦) નામના યુવાને ગઈકાલે સવારે કોઈ અકળ કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેની જાણ થતાં સાથે રહેતા રબઆલમ હુસેન શેખે પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના દાતા ગામમાં રહેતા મધુબેન હર્ષદગીરી ગોસ્વામી (ઉ.વ.પર) નામના પ્રૌઢાએ ગઈકાલે સાંજે દાતા ગામમાં એક ખેતરમાં આવેલા કૂવામાં ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. તેમના પુત્ર જીતેન્દ્રગીરી ગોસ્વામીએ પોલીસને જાણ કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ મધુબેનના પતિ હર્ષદગીરીનું કોરાનાકાળમાં અવસાન થયું હતું. તે પછી મધુબેન માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને ગઈકાલે તેઓએ આત્મહત્યા કરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial