Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા-ખંભાળિયાના પાલિકા તંત્રો થયા સક્રિયઃ
ખંભાળિયા તા. ૧૪: ગુજરાત રાજ્યની નગરપાલિકાઓને પોતાના ભવન બનાવવા-રીપેરીંગ માટે સહાયની મુખ્યમંત્રીની જાહેરાત કરી છે. સંદર્ભે ખંભાળિયામાં નવું પાલિકા ભવન બનશે.
ગુજરાત રાજ્યની નગરપાલિકાઓને પોતાનું નવું મકાન બનાવવા કે રીપેરીંગ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત આવકારદાયક બની છે.
રાજ્યની અ વર્ગની નગરપાલિકાને તથા બ વર્ગની નગરપાલિકાઓને બે કરોડની સહાય રાજ્ય તરફથી આપવામાં આવતી હતી જેમાં મોટ વધારો કરીને અ વર્ગ માટે ૬ કરોડ અને બ વર્ગ માટે પાંચ કરોડ જાહેર થયા છે, તો ક અને ડ વર્ગની નગરપાલિકાઓને એક કરોડ જ અપાતા હતાં તેમાં પણ મોટો વધારો કરીને ક વર્ગને ૪ કરોડ તથા ડ વર્ગને ત્રણ કરોડ સહાય મંજુર થઈ છે, જે ન.પા.ઓ પાસે મકાન હોય તથા રીપેરીંગની જરૂર હોય તેમને મળવાપાત્ર રકમના રપ ટકા અપાશે. રાજ્યમાં હાલ અ વર્ગને ૩૪, બ વર્ગની ૩૭, ક વર્ગની ૬૧ તથા ડ વર્ગની ૧૭ ન.પા.ઓ છે.
નવા બનનાર નગર સેવા સદનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કેચી રેઈન અભિયાનને વેગ આપવા તથા ઊર્જા બચત માટે સોલાર સિસ્ટમ નાખવા તથા દિવ્યાંગો અને વરિષ્ઠ લોકો માટે લીફ્ટની સુવિધા રાખવા પણ મુખ્યમંત્રી દ્વારા નિર્દેશ કરાયો છે.
તાજેતરમાં દ્વારકા જિલ્લામાં દ્વારકા તથા ખંભાળિયા અ વર્ગની ન.પા. થતા બન્નેને નવા બિલ્ડીંગ બનાવા ૬-૬ કરોડ મળે તેમ હોય, બન્ને પાલિકા તંત્રો આ દિશામાં એક્ટિવ થયા છે. ખંભાળિયા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial