Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા ભારતરત્ન ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ

આજે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની ૧૩૪મી જયંતીની ભવ્ય ઉજવણીઃ લાલબંગલા પાસે યોજાયો કાર્યક્રમ

                                                                               

જામનગરના લાલ બંગલા વિસ્તારમાં આવેલી તેમની પ્રતિમાને આજે પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગરના શહેર તથા જિલ્લા ભાજપના આગેવાનોમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડે.મેયર કિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાંખવા, શહેર ભાજપના અધ્યક્ષા બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપના પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા અને મેરામણ ભાટુ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોક નંદા, કોર્પોરેટરો સામત પરમાર વગેરે જોડાયા હતાં. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના પક્ષના નેતા ધવલભાઈ નંદા, અન્ય અગ્રણીઓ ભરત વાળા, આનંદ રાઠોડ અને આનંદ ગોહિલ, કોર્પોરેટર જેનબબેન ખફી, પાર્થ પટેલ, શક્તિસિંહ જેઠવા, પ્રવિણભાઈ જેઠવા, સંજય કાંબરીયા વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh