Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૪ : જામનગરના ગોકુલનગર સ્થિત સરદાર પાર્ક-૧માં વસવાટ કરતા તેજુસ્વામી બજરંગલાલ નામના આસામીને ગયા જુલાઈ મહિનામાં દક્ષિણ દિલ્હીના આંબેડકરનગરમાં રહેતા પવનકુમાર રાકેશપ્રકાશ મથુરીયા નામના શખ્સનો ભેટો થયો હતો.
આ શખ્સે શેરબજારમાં પોતાને સારી એવી જાણકારી હોવાનું કહી તેજુસ્વામીને વાતોમાં લપેટ્યા હતા અને રૂ.૧ લાખનું રોકાણ કરવાથી ડબલથી વધુ નફો થઈ શકે છે તેમ જણાવ્યું હતું.
લાલચમાં આવી ગયેલા તેજુસ્વામીએ પોતાના મામાના દીકરા શોભીતના બેંક એકાઉન્ટમાં રૂ.૧ લાખ નખાવી આપ્યા હતા. આ રકમ ઓક્ટોબર મહિનામાં નફા સાથે પરત લેવાની થતી હતી. તે રકમ માટે જામજોધપુર તાલુકાના જામ આંબરડી ગામમાં આવેલી તેજુસ્વામીની ખાણ પર આવેલા પવનકુમારે વાત કરવા માટે તેજુસ્વામીનો કિંમતી મોબાઈલ પણ સાથે રાખી લઈ ત્યાંથી પોબારા ભણી લીધા હતા.
પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાઈ આવતા આખરે તેજુસ્વામીએ ગઈકાલે શેઠવડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial