Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈત્રી પૂર્ણિમાના પાવન દિને
ચૈત્ર માસ ધાર્મિક કાર્યો માટે ઉપરાંત દાન-પુણ્ય માટે પાવનકારી ગણાય છે. ચૈત્ર માસની શરૂઆતમાં નવરાત્રિ પર્વ ઉપરાંત ભગવાન રામ તથા હનુમાનજીનું પ્રાગટય થયેલું હોય દેવી-દેવતાની આરાધના-ઉપાસના માટે આ માસ મહત્ત્વપૂર્ણ ગણાય છે.
ચૈત્રી પૂનમના દર મહિને પૂનમ ભરવા આવતા દ્વારકાધીશના ભકતોએ પુણ્ય સલીલા ગોમતી નદીમાં સ્નાન કરી કાળિયા ઠાકોરને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. પૂનમના અવસરે દ્વારકાધીશના જગતમંદિરમાં વહેલી સવારે મંગલા આરતીમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.
ભાવિકોએ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કરી ભાવવિભોર થયા હતા. મંદિર વહેલી સવારે છ વાગ્યે ખૂલ્યા હોય પવિત્ર ગોમતી સ્નાન સાથે ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર હજારો ભાવિકો ઉમટયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial