Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં આવેલા કિંમતી પ્લોટ અંગે કરાયેલો દાવો અદાલત દ્વારા રદ્દ થયો

પ્રતિવાદી પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલો ગ્રાહ્યઃ

                                                             

જામનગર તા.૧૪ : કાલાવડમાં આવેલા એક કિંમતી પ્લોટ માટે ડેક્લેરેશન તથા કાયમી મનાઈહુકમ મેળવવા માટે અદાલતમાં કરાયેલો દાવો અદાલતે પ્રતિવાદી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી રદ્દ કર્યાે છે.

જામનગર-કાલાવડ શહેર ના જામનગર રોડ પર રે.સ.નં. ૨૮૭વાળી રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી જમીનમાં પ્લોટ નં.૧૧ માટે પ્રકાશ જીલુભાઈ ઉધાસે દાવો કરી જણાવ્યું હતું કે, આ પ્લોટ તેમના પિતા જીલુભાઈ કલા ભાઈએ વર્ષ ૧૯૭૭માં રૂડા રત્ના કુંભાર પાસેથી ખરીદ્યો હતો. તે જગ્યામાં અશ્વિન વિઠ્ઠલભાઈ કપુરીયા અડચણ ન કરે તે માટે કાયમી મનાઈહુકમ પણ માંગવામાં આવ્યો હતો.

ઉપરોક્ત દાવા અન્વયે વર્ષ ૧૯૭૪માં રૂડા રત્નાભાઈ પાસેથી વિઠ્ઠલભાઈ દેવજીભાઈ કપુરીયાએ પ્લોટ ખરીદ્યાની વિગત અશ્વિનભાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આમ એક જ પ્લોટનું બે વાર વેચાણ થયું હોય ત્યારે કાયદા મુજબ બીજી વારના દસ્તાવેજના આધારે કોઈ હક્ક પ્રાપ્ત ન થાય તેવી દલીલ કરવામાં આવી હતી. તેને ગ્રાહ્ય રાખી અદાલતે પ્રકાશ જીલુભાઈ ઉધાસનો દાવો રદ્દ કર્યાે છે. પ્રતિવાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh