Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજમાં જળ સંચય-સંગ્રહ અંગેનો સેમિનાર યોજાયો

વિશ્વ જળ દિવસઃ જળસંગ્રહ-જળાશપથ અંગે ચર્ચાઃ

                                                            

વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ, જામનગરમાં તાજેતરમાં નવાનગર નેચર ક્લબ તથા વિદ્યાસાગર કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળ દિવસ નિમિત્તે જળ સંચય અને સંગ્રહ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિજયસિંહ જાડેજા (પ્રમુખ નવાનગર નેચર ક્લબ), શરદભાઈ શેઠ (જળસંચયના પ્રણેતા), ડો. હેમાંગ પારેખ (મોટીવેશનલ સ્પીકર) તથા કોલેજ પ્રિન્સિપાલ શ્રીરામ કેવલરામાણી દ્વારા જળસંગ્રહ, જળ બચત, જળ શપથ તેમજ ભવિષ્યમાં આવનારી સમસ્યા તથા તે અંગે સમાધાન કઈ રીતે લાવી શકાય તે અંગે ગ્રુપ ચર્ચા દ્વારા ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ સેમીનારમાં કોલેજ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ તેમજ અધ્યાપકોનો સહયોગ રહૃાો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh