Advertisement
Author: નોબત સમાચાર

શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવ

ભાણવડ તાલુકાના મોડપર (ગઢવાળુ) ગામે

                                                 

જામનગર તા. ૧૪: શ્રી રામદેવજી મહારાજ સવરા મંડપ મહોત્સવ તા. ૧૪/૪ થી ૧૯/૪ સુધી મુ. મોડપર (ગઢવાળુ)માં યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧૪ ને સોમવારે સવારે શુભ ચોઘડિયે ભૂમિપૂજન-કુંભ સ્થાપના, બપોરે ૩ વાગ્યે સંતોના સામૈયા, સાંજે જ્યોત પ્રાગટ્ય, તા. ૧પ ના રાત્રે ૯ વાગ્યે જય અલખધણી જામ-આંબરડીનું પ્રખ્યાત રામમંડળનું આયોજન, તા. ૧૮ ને શુક્રવારે સવારે ૮-૧પ વાગ્યે મંડપ ખડો થશે. તા. ૧૯ ને શનિવારે સવારે મંડપનું વિસર્જન થશે.

તા. ૧૭/૪ ને ગુરુવારે રાત્રે ૯ વાગ્યે આયોજીત સંતવાણીમાં રામદાસ ગોંડલિયા, દેવરાજભાઈ ગઢવી, અને સચિનભાઈ બારોટ દૂહા-છંદ-ભજનની રમઝટ બોલાવશે.

આ પાવન પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જામજોધપુરના ધારાસભ્ય  હેમતભાઈ ખવા, પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ વિગેરે ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh