Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈ-વે પર વૃક્ષારોપણ
ખંભાળિયા તા. ૧૪: ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વૃક્ષારોપણમાં દ્વારકાથી સોમનાથ કોસ્ટલ હાઈવેનો બન્ને તરફ વૃક્ષારોપણ કરવા આયોજન થયું હતું.
રાજ્ય સરકાર દ્વારા આ વખતે ખાનગી એજન્સીને કામ આપવા નક્કી થયું હતું. જે ૧૦૦ કરોડનું કામ હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી આ ૧૦૦ કરોડનું કામ સદ્ભાવના ટ્રસ્ટને મળ્યું, પણ આ ટ્રસ્ટ દ્વારા સામેથી દાતાની મદદથી બીજા ૧૦૦ કરોડ સરકારને ભેગા કરી દેવાયા તે પણ એડવાન્સમાં.
હવે સોમનાથ-દ્વારકા હાઈવે પર વૃક્ષારોપણ થયું તથા ત્રણ વર્ષ સુધી રોપાની જાળવણી માટે પણ કરાર નક્કી થયો છે, પણ , ૪૦ હજાર રોપાના લક્ષ્યાંક સામે ર૦ હજારમાં આખો હાઈવે બન્ને તરફ કંપલીટ થઈ ગયો છે. બાકી રહેલા ર૦ હજાર રોપા દ્વારકા તથા જામનગર જિલ્લામાં નાખવા જણાવતા વીસ હજાર રોપાઓ દ્વારકા તથા જામનગરના વિવિધ હાઈવે પર રોપવામાં આવી રહ્યા છે. થોડા સમયમાં દ્વારકા-સોમનાથ હાઈવે સાથે દ્વારકા તથા જામનગર જિલ્લાના હાઈવે પણ હરિયાળા થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial