Advertisement
Author: નોબત સમાચાર

બેટ-દ્વારકામાં ૧રપ વર્ષ જુના મંદિરનો પોલીસે જીર્ણોદ્ધાર કર્યો

નેપાળી હનુમાન મંદિરને બાલા હનુમાન નામ અપાયું:

જામનગર તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બેટદ્વારકાના બાલાપર વિસ્તારમાં થોડા સમય પહેલા કરવામાં આવેલ ડિમોલીશન કામગીરી દરમિયાન એક હનુમાન મંદિર ખંઢેર હાલતમાં જોવા મળ્યું હતું.

તાજેતરમાં પોલીસ વિભાગે મંદિરનો જીર્ણોદ્ધાર કરીને હનુમાન જયંતીના પવિત્ર દિવસે ફરી દર્શનાર્થ ખુલ્લુ મૂકાયો હતું.

બેટદ્વારકામાં ડિમોલીશન કામગીરી દરમિયાન નજરે ચઢેલ હનુમાનજીનું મંદિર આશરે ૧રપ વર્ષ પહેલાનું છે, અને નેપાળી જ્ઞાતિનું છે. જે નેપાળી હનુમાનજી મંદિર તરીકે ઓળખાતું હતું.

૪૦ થી પ૦ વર્ષ પહેલા સ્થિતિ બદલતા લોકોનું દર્શન માટે આવન જાવન બંધ થયું હતું. આથી ભક્તોએ ત્યાંની મૂર્તિનું અન્યત્ર સ્થળાંતર કર્યું હતું.

આથી દ્વારકા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો અને ગત્ હનુમાન જયંતીના પવિત્ર દિવસે મૂર્તિનું સ્થાપન કરી દર્શન માટે ખુલ્લુ મૂકાયું હતું અને આ મંદિરનું બાલા હનુમાન નામકરણ કરાયું હતું અને અહીં સેવા-પૂજા પણ શરૂ કરી દેવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh