Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તજજ્ઞો દ્વારા એઆઈનો કઈ રીતે મેડીકલ રિસર્ચ તેમજ અભ્યાસમાં ઉપયોગ કરી શકાય તે વિશેડિ પાયાની સમજ અપાઈ
જામનગર તા ૧: એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગરમાં ડીનની અધ્યક્ષતામાં આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ઈન હેલ્થકેર રિસર્ચ એન્ડ મેડીકલ એજ્યુકેશન વિષય પર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડિકલ કોલેજનાં અધ્યાપકો તેમજ પી.જી. વિભાગમાં અભ્યાસ કરતાં રેસીડન્ટ ડોકટરો હાજર રહ્યા હતાં. જેમાં પ્રમાણિત એઆઈ નિષ્ણાંત ડો. હર્ષ હિરાણી (હૈદ્રાબાદ), ડો. ભરત સાબુ (ઈન્દોર) તેમજ ડો. આલોક મોદી (મુંબઈ) દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લગતા વિવિધ વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમજ આ વર્કશોપમાં એઆઈનો કઈ રીતે મેડિકલ રિસર્ચ તેમજ અભ્યાસમાં ઉપયોગ કરી શકાય તે વિશેની પાયાની સમજ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં એઆઈની મદદથી ડેટા એનાલિસિસ, રિપોર્ટ રાઈટીંગ, રિસર્ચ તેમજ વિવિધ રોગની સારવારમાં તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે વિશેની સમજ અપાઈ હતી.
આ વર્કશોપમાં ૪૧ અધ્યાપક તેમજ ૪પ રેસીડન્ટ ડોકટર સહભાગી થયા હતાં જેમને સર્ટીફીકેટ એનાયત કરાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મલ્ટી ડીસીપ્લીનરી રિસર્ચ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial