Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યોજનાકીય લાભો માટે
જામનગર તા. ૩૧: સીનીયર સીટીઝનોને અનેક સેવાનો લાભ મળે તે માટે દાખલો મેળવવાનો રહે છે. તે દાખલો કાગળમાં આપવામાં આવતો હોવાથી લાંબો સમય સુધી સાચવી રાખવો મુશ્કેલ બને છે. તેના બદલે કાર્ડ-સ્વરૂપે આપવો જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.
જોડીયા-ભુંગા વિસ્તારમાં હારૂન રશીદ છરેચાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, કાગળમાં મળતા દાખલાની પ્રિન્ટની શાહી અમુક સમય પછી અદૃશ્ય થઈ જાય છે, અથવા કાગળ ફાટી જાય છે. પરિણામે સીનીયર સીટીઝનને મુશ્કેલી નડે છે. આથી આવા દાખલા, મતદાર ઓળખ પત્રની માફક કાર્ડ સ્વરૂપે આપવામાં આવે તો તે લાંબો સમય સુધી ટકી રહેશે. તેવી રીતે હોસ્પિટલ અથવા અન્ય સરકારી કચેરીઓમાં સીનીયર સીટીઝન માટે અલગ લાઈનની સુવિધા મળે તે જરૂરી છે. કારણ કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું વૃદ્ધો માટે શકય નથી. સાથો સાથ એસ.ટી. બસમાં પણ અનામત બેઠક વ્યવસ્થા રાખવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial