Advertisement
Author: નોબત સમાચાર

લોન પર લીધેલી રિક્ષાના હપ્તા ન ભરાતા ચિંતા અનુભવતા પ્રૌઢનું વિષપાનઃ મૃત્યુ

અઢાર દિવસ પહેલાં કર્યા હતા ઝેરના પારખાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરના મોટી ખાવડી ગામ નજીકના ગાગવાધારમાં વસવાટ કરતા એક પ્રૌઢે લોન પર લીધેલી સીએનજી રિક્ષાના હપ્તા ન ભરાતા હોવાથી તેની ચિંતામાં આવી જઈ બે સપ્તાહ પૂર્વે વિષપાન કર્યા પછી સારવારમાં તેઓનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ નજીકના ગાગવાધારમાં વસવાટ કરતા ખીમાભાઈ હીરાભાઈ સંજોટ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢે થોડા સમય પહેલાં લોન મેળવી સીએનજી રિક્ષા ખરીદી હતી.

તે રિક્ષાના હપ્તા ભરી શકાતા ન હોવાથી તેની ચિંતામાં ગરકાવ થઈ ગયેલા ખીમાભાઈએ ગઈ તા.રના દિને પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં આ પ્રૌઢને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ રામાભાઈ સંજોટે પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh