Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સરકારનું ગતકડું...!
ખંભાળીયા તા. ર૧: ગુજરાત રાજ્યમાં ગઈકાલે રાજય સરકાર દ્વારા રાજયમાં મોટા જિલ્લાઓના વિસ્તારને ધ્યાને લઈને રાજકોટ, કચ્છ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીગનર એમ ૬ જગ્યાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે રાજ્યમાં ૧૬ જેટલી ખાલી જિ.શિ.ઓની જગ્યાઓ સામે વધુ ૬ જિ.શિ.ની જગ્યા મળી રર જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાઓ ખાલી રહેશે તેવી સ્થિતિ બનાવતા શિક્ષણતંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે...!!
અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, જામનગર, જુનાગઢ, વડોદરા, બોટાદ, વલસાડ, વાવથરાદમાં જિ.શિ. માધ્યમિક, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, સુરત, પોરબંદર, ભાવનગર, ડાંગ, વાવમાં પ્રાથમિક જિ.શિ. ની જગ્યાઓ ખાલી છે, તો નવી છ જિ.શિ.ની જગ્યાઓ મળતા રર જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યાઓ ખાલી રહેશેે.
જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની જગ્યા દોઢ વર્ષથી ખાલી છે. રાજકોટની પણ દોઢ વર્ષથી જામનગર પ્રા.શિક્ષકો પણ રજા પર ટ્રેનીંગમા જતા ત્યાં પણ ઈન્ચાર્જ છે ત્યારે રાજયના શિક્ષણ વિભાગે પ્રમોશનની વર્ગ-૧ ની જગ્યા ભરવાની પ્રક્રિયાને બદલે મોટા-મોટા જિલ્લાઓ વડોદરા, અમદાવાદ, રાજકોટ, વલસાડ, સુરત, ભાવનગર, જુનાગઢ જેવા જિલ્લાઓમાં જિલ્લાની મુખ્ય જિલ્લા શિક્ષણાધિકારીની જ જગ્યા ખાલી હોય તો પછી જિલ્લાના શિક્ષણ તંત્રનું શું થાય...?
રાજયનો શિક્ષણ વિભાગ નવી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જાહેર કરવા સાથે અગાઉની અને નવી જિ.શિ. કચેરીમાં રેગ્યુલર અધિકારી પણ નીમે તો સાર્થકતા સિદ્ધ થાય...!!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial