Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિહારના પ્રવાસના કારણે તા. ર૦ ના કાર્યક્રમ મોકુફ રહ્યો હતો
જામનગર તા. ર૧: જામનગરના નજરાણા સમાન સૌરાષ્ટ્રના સૌથી વધુ લંબાઈના ફ્લાય ઓવર બ્રિજનું આગામી તા. ર૪ અને સોમવારના રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
જામનગરમાં આશરે સવા બસ્સો કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી વધુ લંબાઈના ફ્લાય ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું જે, જેનું લોકાર્પણ આગામી તા. ર૪ અને સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ માટે સવારે ૧૦-૩૦ કલાકે ધન્વન્તરિ હોલમાં કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.
આ બ્રિજ નિર્માણની કામગીરી ૧૮-૮-ર૦ર૧ ના શરૂ કરવામાં આવી હતી અને ૩૧-૧૦-ર૦રપ ના કામગીરી પૂર્ણ થઈ હતી.
આ બ્રિજની લંબાઈમાં કુલ ૬૧ ગાળા છે. ૧ર૦૦ થી વધુ નાના-મોટા વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે. ઉપરાંત પે એન્ડ યુઝ, બેઠક વ્યવસ્થા, ફૂડ ઝોન વિગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલ આ બ્રિજ નીચે સાત રસ્તા સર્કલમાં ટ્રાફિક બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે તથા સમગ્ર બ્રિજને રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પાઈપલાઈન, એસ.ટી.પી., સીવર કલેક્શન પાઈપલાઈન, સિવિક સેન્ટર વિગેરે રૂ. ૪૧૭ કરોડના કામો તથા ૬ર કરોડના ખર્ચવાળા મેડિકલ કોલેજના યુ.જી. ગર્લ્સ હોસ્ટેલના કામનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. આ માટે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતની ટીમ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial