Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બરડીયાના પરિવારજનો સામે ગુન્હોઃ
જામનગર તા. ૨૧: ઓખામંડળના સુરજકરાડીના એક યુવતીના લગ્ન બરડીયાના યુવાન સાથે થયા પછી દહેજની માગણી કરી પતિ સહિતના સાસરિયાઓએ ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના બરડીયા ગામમાં વસવાટ કરતા દેવાભાઈ ડાયાભાઈ ચાસીયા સાથે સુરજકરાડીના દામજીભાઈ મકવાણાની પુત્રી શિલ્પા (ઉ.વ.૩૦)ના લગ્ન થયા પછી થોડા સમયમાં આ પરિણીતાને ત્રાસ આપવાનંુ શરૂ કરવામાં આવ્યું હતું.
તેણીને પતિ દેવાભાઈ તથા સસરા ડાયાભાઈ જેસાભાઈ ચાસીયા, સાસુ નાથીબેન, મંજુબેન હીરાભાઈ, રાણાભાઈ ડાયાભાઈ ચાસીયાએ તારા કાકા તથા મોટાબાપુ પૈસાદાર છે તેમ છતાં તને કરીયાવરમાં કંઈ આપ્યું નથી તેમ કહી કરીયાવરની માગણી કરતા હતા અને મેણાટોણા મારી એક બીજાને ચઢામણી કરી ત્રાસ વર્તાવતા હતા. તે દરમિયાન પતિએ ફડાકો ઝીંકી કેસ કરી લેવાની ધમકી આપ્યાની પોલીસમાં શિલ્પાબેને ફરિયાદ નોંધાવી છે. મીઠાપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial