Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા
જામનગર તા. ૨૧: કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રજૂ થયેલા ૧૦ પૈકી ૮ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, જામનગરમાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ કુલ ૧૦ પૈકી ૮ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરીને અરજદારોની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી. સાથે સાથે જ્યાં જરૂર જણાય ત્યાં વિભાગોનું અરસપરસ સંકલન કરી અરજદારોનો પ્રશ્નનો ઝડપથી હલ થાય તે માટે પ્રયાસો કર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે સોસાયટીમાં પાણીનો પૂરતો પુરવઠો મળવો, રિ-સર્વે પ્રોમોલગેશન અંગે ક્ષતિ સુધારા કરવા, માર્ગની બંને બાજુ દબાણની માપણી કરવા, સરકારી જગ્યા તથા રોડ પરના બિનઅધિકૃત દબાણો દૂર કરવા, પિયત માટે અન્ડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાખવાની મંજુરી, પોલીસ ફરિયાદને લગતા પ્રશ્નો, વરસાદી પાણી ભરાવાના પ્રશ્ન, જન્મતારીખના દાખલામાં વારસદારમાં નામ ઉમેરવા વગેરે જેવા પ્રશ્નોને કલેકટરે સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.
અરજદારોએ પણ કલેકટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, સંલગ્ન વિભાગોના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial