Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીના જામનગરમાં આગમનના કારણે
સૌરાષ્ટ્રના સૌથી મોટી લંબાઈના ફ્લાય ઓવર બ્રિજનું જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ તા. ર૪ અને સોમવારે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે જામનગર આવતા હોવાથી આજે જિલા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, એસ.પી. રવિ મોહન સૈની સહિતની સંબંધિત વિભાગની ટીમે આજે ઓવરબ્રિજ અને ધન્વન્તરિ ઓડીટોરિયમની સ્થળ મુલાકાત કરી હતી અને સ્થળ નિરીક્ષણ કરી ઝીણવટભરી વિગતો મેળવી હતી, અને તેમના રૂટ, સુરક્ષા, અને બંદોબસ્ત અંગે ચર્ચાઓ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial