Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌશાળાના કર્મચારીએ પોલીસમાં કરી ફરિયાદઃ
જામનગર તા. ૨૧: દ્વારકા પાસે આવેલી એક ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરી આપવાનંુ કહી તાલાલાના એક શખ્સે રૂ.૧૭ લાખ પ૧ હજાર એડવાન્સ પેટે મેળવી લીધા પછી પેનલ ફીટ ન કરી ઠેંગો બતાવતા તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
દ્વારકા શહેરથી નાગેશ્વર મંદિર તરફ જવાના રોડ પર આવેલી વિરમભા આશાભા માણેક ચેરીટેબલ ટ્રસ્ટની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરાવવા માટે દ્વારકામાં વિરમેશ્વરનગરમાં રહેતા અને ગૌશાાળામાં નોકરી કરતા રમેશભા ભીમાભા બઠીયાએ ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં સોલાર પેનલનું કામ કરતા વિશાલ ભરતભાઈ પંચોલીનો સંપર્ક કર્યાે હતો.
સ્થળ પર આવી સોલાર પેનલ અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યા પછી તેની રકમ નક્કી કરવામાં આવી હતી અને તેના માટે રૂ.૧૭ લાખ પ૧ હજાર એડવાન્સ પેટે આપવાની વાત કરતા રમેશભાએ તે રકમ ચેકથી ચૂકવી આપી હતી.
ગયા ફેબ્રુઆરી મહિનામાં ઉપરોક્ત રકમ ચૂકવાયા પછી પણ વિશાલ પંચોલી દ્વારા ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવામાં ન આવતા અવારનવાર તેની સાથે આ બાબતની વાતચીત કરાયા પછી આ શખ્સે છેતરપિંડી કરી હોવાનું જણાઈ આવતા આખરે દ્વારકા પોલીસ સ્ટેશનમાં રમેશભા બઠીયાએ ગઈકાલે છેતરપિંડી તથા વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૩૧૬ (ર), ૩૧૮ (૩) હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial