Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકાસ ભી... વિરાસત ભી... ના ધ્યેય મંત્ર સાથે
શ્રી કૃષ્ણ- રૂક્ષ્મણીજીની લગ્નભૂમિ માધવપુરમાં ૯૧ કરોડના ખર્ચે વિકાસ કાર્યો પ્રથમ તબક્કામાં રૂક્ષ્મણીજી મંદિર સહિત છ કાર્યો સંપન્ન થયા હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર અને રાજય સરકારના 'વિકાસ ભી વિરાસત ભી'ના ધ્યેયમંત્ર સાથે રાજ્યભરમાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો તેમજ પર્યટનસ્થળોમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યો કરાઈ રહૃાા છે ત્યારે યાત્રાધામ દ્વારકા નજીકના પોરબંદર જિલ્લામાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીની પવિત્ર લગ્નભૂમિ એવા માધવપુરમાં આવેલ પૌરાણિક મંદિરમાં અંદાજે ૯૧ કરોડથી વધુના ખર્ચે તબક્કાવાર વિકાસકાર્યો હાથ ધરાયા હોય જેમાં યાત્રાધામના ડેવલોપમેન્ટના પ્રથમ તબક્કામાં ૪૮ કરોડ રૂપિયાના ખર્ચે શ્રી રૂક્ષ્મણી માતા મંદિર, ચોરી માયરાની જગ્યા, એપ્રોચ રોડ, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશદ્વાર અને બીચ ડેવલોપમેન્ટ સહિતના કામો પૂર્ણ કરાયા છે. બીજા તબક્કામાં શ્રી માધવરાયજીનું મંદિર પુનઃ નિર્માણ, પરિસરનો વિકાસ સહિતના કાર્યો હાથ ધરાશે. આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે અને દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે. જેના પરિણામે ગુજરાત ધાર્મિક પ્રવાસીઓ અને આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial