Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉંઘની હાલતમાં યુવકને હૃદયરોગનો હુમલોઃ
જામનગર તા. ૨૧: ઓખામંડળના ભીમરાણામાં એકાદ મહિના પહેલાં એક વૃદ્ધના પગમાં સર્પ કરડી ગયા પછી તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે અને ખંભાળિયાના યુવાનનું ઉંઘની હાલતમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા ભીમરાણા ગામના વાડી વિસ્તારમાં રહેતા કરમણભા ધુધાભા માણેક (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગઈ તા.૧૬ ઓક્ટોબરના દિને પોતાના ઘરે હતા ત્યારે તેમના પગમાં સર્પ કરડી ગયો હતો.
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા આ વૃદ્ધનું ગયા રવિવારે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર સુનિલભા માણેકે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયામાં શાક માર્કેટ પાસે રહેતા ગૌરાંગભાઈ શૈલેષભાઈ જોષી (ઉ.વ.૪૩) નામના વિપ્ર યુવાન બુધવારે રાત્રે ઉલ્ટી થયા પછી છાતીમાં દુખે છે તેમ કહીને નિદ્રાધીન થયા પછી ગઈકાલે સવારે ઉઠ્યા ન હતા. આ યુવાનનું ઉંઘની હાલતમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યુ નિપજ્યાનું તેમના માતા નયનાબેન શૈલેષભાઈ જોષીએ પોલીસ સમક્ષ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial