Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈટ્રા દ્વારા હરિત યોગ થકી પર્યાવરણ દિવસની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત 'હરિત યોગ' દ્વારા પ્રકૃતિની વચ્ચે કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના હર્બલ ગાર્ડનમાં ૫ જૂનના સવારે ૭ થી ૯ દરમ્યાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સત્કારવા યોગાસન (કોમન યોગ પ્રોટોકોલ) કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ બોઈઝ હોસ્ટેલમાં 'એક પેડ માં કે નામ' તેમજ "પર્યાવરણ દિવસ"ની ઉજવણીને અનુમોદન આપવા ઔષદ્યિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ઈટ્રાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરીની અધ્યક્ષતામાં સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ ડબલ્યુ.એચ.ઓ.જી.ટી.એમ.સી.ના ડો. મનજીત સલુજા તેમજ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના કીર્તિભાઈ ફોફરિયા જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh