Advertisement
Author: નોબત સમાચાર

અલિયા ગામના શખ્સને કરવામાં આવ્યો હદપાર

બે પોલીસ મથકમાં નોંધાયેલા છે ત્રણ ગુન્હાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનથરના અલિયા ગામના એક શખ્સ સામે જુદા-જુદા બે પોલીસ મથકમાં ત્રણ ગુન્હા નોંધાયા પછી આ શખ્સને હદપાર કરવા માટે તૈયાર કરવામાં આવેલી પોલીસની દરખાસ્ત મંજુર થતા તેને જામનગર જિલ્લાની હદમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.

જામનગર તાલુકાના અલિયા ગામના વિરાણી ચોકમાં રહેતા અજય રામભાઈ મકવાણા ઉર્ફે અજલા નામના શખ્સ સામે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પી.આઈ. એમ.એન. શેખની સૂચનાથી હદપારી અંગે દરખાસ્ત તૈયા કરી હતી. તે દરખાસ્તને જામનગરના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે મંજુરી આપતા આ શખ્સને જામનગર જિલ્લાની હદમાંથી બહાર મોકલી આપવા તજવીજ કરાઈ છે. આ શખ્સ સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં લૂંટ કરવા અંગેનો ગુન્હો નોંધાયેલ છે જયારે પંચકોશી એ ડીવીઝનમાં તેની સામે મારામારી સહીતના બે ગુન્હાની નોંધ થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh