Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નમાઝ ૫છી તકરીરો થઈઃ હિન્દુ-મુસ્લિમ એકતાના દૃશ્યો સર્જાયાઃ પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો
જામનગર શહેર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) અલ્લાહની ખાસ ઈબાદત સાથે ઉજવવામાં આવી હતી. ત્યાગ અને કુરબાનીનો અજોડ મહિમાસભર ઈદ-ઉલ-અઝહાના પવિત્ર દિવસે જામનગર શહેર-જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુસ્લિમ સમુદાય દ્વારા ઈદગાહ અને અન્ય મસ્જિદમાં ઈદની ખાસ નમાઝ અદા કરી અલ્લાહનો શુક્ર ગુજારી સર્વે માટે દુઆ કરવામાં આવી હતી. જામનગરની ઈદગાહ પર કાઝીએ ગુજરાત સૈયદ સલીમબાપુ નાનીવારા સાહેબે ઈદની નમાઝ અદા કરાવી હતી. જુમ્મા મસ્જિદના મૌલાના સુલેમાન બરકાતીએ નમાઝ પૂર્વે તેમણે પ્રાસંગિક ઉદ્બોધન કરી એખલાસભર્યુ વાતાવરણ રાખવા અનુરોધ કર્યો હતો. જામનગર શહેર ઈદગાહ ઉપરાંત જુમ્મા મસ્જિદ, રતનબાઈ મસ્જિદ, ગોવાળ મસ્જિદ, કમાલશા મસ્જિદ, મતવા મસ્જિદ, મક્કા મસ્જિદ, હંસબાઈ મસ્જિદ, નવીવાસ મસ્જિદ, અમૃતબાઈ મસ્જિદમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. એકબીજાને ઈદમુબારક પાઠવ્યા હતાં. આ અવસરે ઈદગાહ પર ધવલ નંદા, આનંદ રાઠોડ, ઈનાયતખાન પઠાણ (પત્રકાર), આનંદ ગોહિલ, રશીદભાઈ (જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ - ગુડલક), અલ્તાફભાઈ ખફી, એડવોકેટ અશરફ ગોરી, મોહસીન ખફી, મુન્નાભાઈ બાદશાહ, આરીફભાઈ બંદૂકવારા, પ્રાર્થભાઈ પટેલ, આમદભાઈ ખુરેશી, શબ્બીર સાટી, મોહસીનખાન પઠાણ ઉપરાંત હિન્દુ-મુસ્લિમો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત ઈદગાહ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial