Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે સવારે નવ વાગ્યે થશે ઉદ્ઘાટનઃ
જામનગર તા. ૭: જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈ તથા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈસીએએસએ દ્વારા ધન્વન્તરિ ઓડિટોરિયમ પી.એન. માર્ગ, જામનગરમાં તારીખ ૮ જૂન અને ૯ જૂન ર૦રપ ના સીએના વિદ્યાર્થીઓ માટે બે દિવસની કોન્ફરન્સ 'યુગાંતર' રાખેલ છે. આ કાર્યક્રમમાં મૂળ જામનગરના સીએ પ્રશાંત મહર્શી હાલ વાઈસ પ્રેસિડેન્ટ, આઈ.ટી.એ.ટી. બેંગલુરૂ સ્થિત ઉદ્ઘાટન સમયે વક્તવ્ય આપશે અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કોન્ફરન્સમાં મુંબઈ, સુરત, નાગપુર અને જામનગરના વક્તાઓ તથા વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયો પર પોતાનું વક્તવ્ય આપશે.
આ કાયક્રમની સફળતા માટે જામનગર બ્રાન્ચના ચેરમેન સીએ હરદીપસિંહ જાડેજા, વાઈસ ચેરમેન સીએ મહમદ સફી કુરેશી, સેક્રેટરી સીએ જયદીપ રાયમંગિયા, ખજાનચી સીએ ખુશી ગુઢકા અને જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈસીએએસએના ચેરમેન સીએ વિશાલ સાકરિયા, ડબલ્યુ આઈ સી એ એસ એ કો-ઓપટેડ મેમ્બર સીએ દિપક દામા તથા પૂર્વ ચેરમેનો તથા જામનગરના સીએના સભ્યો તથા કમિટીના સભ્યો અને વિદ્યાર્થીઓ સભ્યો સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન આવતીકાલે સવારે નવ વાગ્યે થશે તેમ સંસ્થાના સેક્રેટરી સીએ જયદીપ રાયમંગિયાએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial