Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ ૩પ.૬ ડીગ્રી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં તેજીલા વાયરાઓ વચ્ચે હાલ તાપમાનમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો મહત્તમ તાપમાનનો પારો ૩ ડીગ્રી સુધી નીચે સરકીને ૩પ.૬ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને ૧.૪ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ગઈકાલે પણ અસહ્ય બફારો અનુભવાયો હતો. એસી, એરકૂલર તથા પંખાથી દૂર માત્ર થોડીવાર કામ કરવાની સાથે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. અસહ્ય ઉકળાટથી પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ થઈને ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે સાંજથી ધીમે-ધીમે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh