Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
દ્વારકા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં આવેલી ગોમતી નદીમાં સ્નાન ન કરવા જવા માટે દ્વારકાધીશના દર્શને આવતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરની નજીક ગોમતી નદી આવેલી છે. વિશ્વ વિખ્યાત દ્વારકાધીશના મંદિરમાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાથી નદીમાં ડૂબકી મારીને સ્નાન કરતા હોય છે. ગોમતી નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે, પરંતુ હાલમાં ચોમાસાની ઋતુ નજીકમાં આવતા દરિયામાં ભારે કરંટ હોવાથી નદીમાં નહાવા જવું ખૂબ જ જોખમી છે. નદીમાં ક્યારેક પાણીમાં કરંટનો અનુભવ થાય છે, જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ગોમતી નદી આસપાસના વિસ્તારમાં સિક્યુરીટી જવાનો ખડે પગે રાખવામાં આવ્યા છે તેમજ ત્યાં દોરડા બાંધવાની પણ કામગીરી કરવામાં આવી છે. આગામી સમયમાં હરિદ્વારની જેમ રેલિંગ બાંધવાની કામગીરીનું પ્લાનિંગ પણ કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવનાર છે. ગોમતી નદીમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ન જાય તે માટે જરૂરી પૂરતી વ્યવસ્થાઓ પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial