Advertisement
Author: નોબત સમાચાર

નવા રેલવે ટ્રેકની કામગીરીના કારણે ગરનાળુ બંધઃ વરસાદી પાણી ભરાશે

રામનગરના રહેવાસીઓની રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં નવી રેલવે લાઈનના નવા ટ્રેકની કામગીરીના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ થતા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

રામનગર ઢાળિયો વિસ્તારમાં રહેતા અનેક લતાવાસીઓ દ્વારા આ રજૂઆતમાં જણાવ્યું છે કે, શરૂ સેક્શન રોડથી ખોળમીલના ઢાળિયા સુધી બોક્સ કેનાલ મારફત સમગ્ર અંબા વિજય સોસાયટી, પંચવટી સોસાયટી, રામનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેવડી નદીમાં કરવામાં આવે છે. તે બોક્સ કેનાલ પૂરી થાય પછી રેલવે લાઈનના ગરનાળામાંથી પસાર થઈ પાણી કેવડી નદીમાં પહોંચે છે, પરંતુ હાલમાં ચાલતી રેલવેના બીજા ટ્રેકની કામગીરીના કારણે ગરનાળું બંધ થઈ જવા પામ્યું છે.

જો તાકીદે વધારાના પાઈપ સાથે ગરનાળું ચાલુ કરવામાં નહીં આવે તો ચોમાસામાં વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા ઊભી થશે. આથી સત્વરે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh