Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંઢીયાપુલ પર ટ્રકે સર્જયો અકસ્માતઃ
જામનગર તા. ૭: જોડીયાના તારાણા ગામ નજીક ઓવરબ્રિજ પર ગુરૂવારે રાત્રે એક યુવાનને ઠોકર મારી ટ્રકચાલકે પછાડતા ગંભીર ઈજા પામેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે પોલીસે મૃતકના કાકાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે, જયારે કનસુમરા પાટીયા પાસે સાંઢીયાપુલ નજીક બાઈકને ટ્રકે ઠોકર મારતા એક યુવાનને બંને પગ ભાંગી ગયા છે.
જોડીયા તાલુકાના તારાણા ગામના આર્યન કમલેશભાઈ જાદવ નામના અઢાર વર્ષના યુવાન ગુરૂવારે રાત્રે નવેક વાગ્યે તારાણા ગામ પાસે આવેલા નેશનલ હાઈ-વે પરના ઓવરબ્રિજ પરથી પસાર થતા હતા ત્યારે જીજે ૮ વાય ૮૦૮૩ નંબરના ટ્રકના ચાલકે તેઓને હડફેટે લીધા હતા.
રોડ પર પછડાયેલા આર્યનને ગંભીર ઈજા થઈ હતી, સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે, તેમના કાકા અને તારાણા ગામમા જ સુરેશભાઈ પુનાભાઈ જાદવે જોડીયા પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે નાસી છુટેલા ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ખોજા નાકા વિસ્તારમાં પીર ચોક પાસે આંબલી ફળીમાં રહેતા મોઈનુદ્દીન ઓસમાણભાઈ ચીતરીયા નામના યુવાન ગઈ તા. ૨૮ એપ્રિલની સાંજે કનસુમરા ગામના પાટીયા પાસે આવેલા સાંઢીયાપુલ નજીકથી જીજે૧૦ ડીપી ૬૫૮૨ નંબરના મોટરસાઈકલમાં જતા હતા ત્યારે જીજે૧૦ ટીવાય ૧૫૪૧ નંબરના ટ્રકે ઠોકર મારી હતી, રોડ પર પડી ગયેલા મોઈનુદ્દીનના બંને પગમાં ફેક્ચર સહીતની ઈજા થઈ છે, તેના પિતા ઓસમાણભાઈ ઈબ્રાહીમભાઈ ચીતરીયાએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial