Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા અન્ય મુસાફરો પણ ઘવાયાઃ
જામનગર તા. ૭: ખંભાળીયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર વડત્રા ગામના પાટીયા પાસે એક છકડા આડે કૂતરૂ ઉતરતા છકડાનું પૈડુ ડિવાઈડર પર ચઢી જતા છકડો ગોથું મારી ગયો હતો, આ અકસ્માતમાં છકડાચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે, છકડામાં મુસાફરી કરતા અન્ય વ્યક્તિઓ ઘવાયા છે.
ખંભાળીયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા વડત્રા ગામ પાસે ગઈકાલે પસાર થતા જીજે૩ એયુ ૫૧૨૪ નંબરના રિક્ષા છકડા આડે અચાનક કૂતરું ઉતરતા તેને બચાવવા જવાના રિક્ષાચાલકના પ્રયાસમાં છકડાનું પૈડું ડીવાઈડર પર ચઢી ગયુ હતું અને છકડો ગોથું મારી ગયો હતો.
આ અકસ્માતમાં રિક્ષાના ચાલક લાલપુર તાલુકાના ધરારનગરમાં રહેતા અજયભાઈ રાજુભાઈ ચૌહાણ નામના ૨૫ વર્ષના યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. રિક્ષામાં મુસાફરી કરી રહેલા અન્ય વ્યકિતઓ ઘવાયા છે, તેઓને ૧૦૮ મારફતે ખંભાળીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકના પિતા રાજુભાઈ હરજીભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial