Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણીપંચે મહારાષ્ટ્રમાં મતદારયાદીમાંથી અલ્પસંખ્યકોના નામો કાપ્યાઃ રાહુલ ગાંધી

કોંગી નેતાની પ્રેસ-કોન્ફરન્સ

નવી દિલ્હી તા. ૭: મહારાષ્ટ્રમાં લઘુમતી-દલિતોના નામ વોટર્સ લિસ્ટમાંથી કપાયા હોવાનો રાહુલ ગાંધીએ ઈસી પર ગંભીર આરોપ લગાવ્યો છે.

લોકસભા નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે (૭ ફેબ્રુઆરી) ગઠબંધન પાર્ટી સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરનસ કરી છે. રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો થયો છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ મતદાતાઓ વિશે વાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાતાઓ અને મતદાતઓની યાદીમાં ગડબડ જોવા મળી છે. અમારી ટીમ દ્વારા તેના પર કામ કરવામાં આવ્યું છે. જેમાં અમને ઘણી અનિયમિતતા જોવા મળી છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટર લિસ્ટમાંથી અલ્પસંખ્યકોના નામ કાપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની ૩ મોટી પાર્ટી ચૂંટણી પંચ સામે મતદારોની યાદી માગી રહી છે, જે અમને નથી આપી રહ્યા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh