Advertisement
Author: નોબત સમાચાર

સીએનસી-વીએમસી-ઓટો કેડ ટ્રેનિંગ સેન્ટરમાં વી.એમ.સી. મશીનનું ઉદ્ઘાટનઃ પ્રમાણપત્ર વિતરણ

જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તથા નયારા એનર્જી દ્વારા સંચાલિત

જામનગર તા. ૭: જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન તથા નાયરા એનર્જી દ્વારા સંચાલિત ટ્રેઈનિંગ સેન્ટરમાં વી.એમ.સી. મશીનનું નયારા એનર્જીના ચેરમેનના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરાયું.

એસો.ની વિકાસયાત્રાની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાયું છે. જામનગરના બ્રાસ ઉદ્યોગકારોની કુશળ માનવબળની જરૂરિયાત સંતોષવા માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસો. તથા નયારા એનર્જીના સહયોગથી એસોસિએશનની જગ્યામાં સીએનસી-વીએમસી/ ઓટોકેડ ટ્રેઈનિંગ સેન્ટર શરૂ કરી અત્યાધુનિક સીએનસી મશીનો સ્થાપિત કરવામાં આવ્યા હતાં.

હાલમાં બ્રાસઉદ્યોગમાં વીએમસી મશીન ઓપરેટરોની સતત ખેંચ વર્તાઈ રહી છે ત્યારે ટ્રેઈનિંગ સેન્ટરમાં અત્યંત વ્યાજબી દરથી વી.એમ.સી. મશીન ઓપરેટીંગની ટ્રેઈનિંગ આપી શકાય તે હેતુથી નયારા એનર્જી દ્વારા અત્યાધુનિક વી.એમ.સી. મશીનનું યોગદાન આપવામાં આવેલ હતું જેનું ઉદ્ઘાટન નયારા એનર્જીના ચેરમેન પ્રસાદ કે. પેનિકરના વરદ્ હસ્તે થયું હતું.

આ પ્રસંગે નયારા એનર્જીના પબ્લિક અફેર્સ પ્રેસિડેન્ટ દિપક કુમાર અરોરા, જનરલ મેનેજર સમીર શાહ, રીફાઈનરી હેડ અમર કુમાર તથા સી.એસ.આર. મેનેજર અર્જુન કૌરવા તથા જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઈ એમ. કેશવાલા, ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા, માનદ્મંત્રી મનસુખભાઈ સાવલા, ખજાનચી ભાઈલાલભાઈ ગોધાણી, ઓડિટર ઓમપ્રકાશભાઈ દુદાણી, એડીટર પરેશભાઈ માલાણી તથા અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતાં.

સંસ્થાના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ લાખાભા કેશવાલાએ તેમના સ્વાગત પ્રવચનમાં નયારા એનર્જી તરફથી ટ્રેઈનિંગ સેન્ટર માટે જે આર્થિક સહયોગ તથા યોગદાન મળ્યું છે, તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી ભવિષ્યમાં પણ સહયોગ મળી રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત નયારા એનર્જીના ચેરમેન પ્રસાદ કે. પેનિકરે તેમના વક્તવ્યમાં એસો.ની કામગીરીથી પ્રભાવિત થઈ આ સેન્ટરના સુચારૂ સંચાલન માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતાં તથા ટ્રેઈનિંગ સેન્ટરના વિકાસ માટે તમામ સહયોગની ખાતરી આપી અને તેસો. દ્વારા આગામી ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી ર૦રપ દરમિયાન જામનગરના આંગણે સૌ પ્રથમ વખત જે ઈન્ટરનેશનલ એક્સ્પોનું આયોજન થવા જઈ રહ્યું છે તેની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ટ્રેઈનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ દ્વારા ટ્રેઈનિંગ સેન્ટરમાં ફીના દર અત્યંત વ્યાજબી હોવા છતાં પણ જે શ્રેષ્ઠ તાલીમ મળી છે અને તેના કારણે જે રોજગાર મળ્યો છે તે બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને ટ્રેઈનિંગ દરમિયાનના પોતાના અનુભવોની માહિતી આપી હતી. ત્યારપછી ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રેઈનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતાં.

નયારા એનર્જી પદાધિકારીઓ દ્વારા જામનગર ફેક્ટરી  ઓનર્સ એસો.ની મુલાકાત લઈ એસો. દ્વારા સંચાલિત કોમન મેટલ ટેસ્ટીંગ લેબોરેટરી મેટાલેબની મુલાકાત લઈ ટેસ્ટીંગ મશીનો વિશે જાણકારી મેળવી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નયારા એનર્જીના સી.એસ.આર. મેનેજર અર્જુન કૌરવા દ્વારા કરવામાં આવેલ હતું, જ્યારે આભારવિધિ સંસ્થાના ઉપપ્રમુખ સુરેશભાઈ હિરપરા દ્વારા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh