Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતાને આમરણમાં પતિએ ત્રાસ આપ્યાની ફરિયાદ

જામનગર તા.૭ : જામનગર-રાજકોટ માર્ગ પર શેખપાટમાં રહેતા એક યુવતીના લગ્ન મોરબીના આમરણમાં કરવામાં આવ્યા પછી બે મહિનામાં જ પતિએ ઘરકામ સહિતની બાબતોને લઈને ત્રાસ આપવાનું શરૂ કરતા હાલમાં પિયર પરત ફરેલા પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા શેખપાટ ગામમાં રહેતા પાયલબેન ભાયાભાઈ ધારેવાડીયાના લગ્ન ગયા એપ્રિલ મહિનામાં મોરબી જિલ્લાના આમરણ ગામના અજય રમેશભાઈ સીરોયા સાથે થયા પછી બેએક મહિના સુધી સારી રીતે રાખ્યા પછી તેણીને ત્રાસ શરૂ કરવામાં આવ્યો હતો.

તેણીને ઘરકામ સહિતની બાબતોમાં બોલાચાલી કરી પતિ અજય મારકૂટ કરતો હતો. તેનાથી કંટાળી જઈને પિયર પરત ફરેલા પાયલબેને ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૮૫, ૧૧૫ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh