Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દબાણ બાકી રહી ગયા હોય તે જગ્યા ખાલી કરાવવા નોટીસ અપાશે
જામનગર ની ઐતિહાસિક રંગમતી- નાગમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ વેગવંતી બનાવવામાં આવી રહી છે, અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તે મામલે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળી ઉપરાંત અનવર ગજણની રાહબરી હેઠળ એસ્ટેટ શાખા, ફાયર શાખા, ટીપી ડીપી શાખા વગેરેના ૨૦ કર્મચારીઓની ટીમ બનાવીને કાલાવડ નાકા બહારથી છેક નાગેશ્વર સુધીના નદીના પટના વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટની જગ્યામાં જે કોઈ હજુ દબાણ બાકી રહી ગયા હોય, તે તમામનો સર્વે કરીને ટૂંક સમયમાં જગ્યા ખાલી કરી દેવા માટેની આખરી નોટિસ પાઠવવામાં આવશે, અને ત્યારબાદ રિવરફ્રન્ટના પ્રોજેક્ટને પૂરજોશ થી આગળ ધપાવવામાં આવશે. તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા હાલ સર્વે કરાઈ રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial