Advertisement
Author: નોબત સમાચાર

હંગામી પોલીસ ચોકી ત્રણ દિવસ પછી થશે કાર્યરત

ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ

જામનગર તા. ૭: જામનગરના બર્ધનચોક વિસ્તારમાં જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ બેસતા ધંધાર્થીઓને સમયાંતરે દૂર કરવામાં આવે છે.

આમ સમસ્યાના કાયમી (નિરાકરણ) માટે ત્યાં હંગામી પોલીસ ચોકીનું નિર્માણ થઈ રહ્યું છે જેને આગામી ત્રણેય દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે.

જામનગર શહેરના બર્ધનચોકની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે ત્યાં પોલીસચોકીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું કામ આગામી રવિવાર સુધીમાં પૂર્ણ થશે. આ પછી સંભવતઃ સોમવારે મ્યુનિ. કમિશનર અને એસ.પી.ના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને ત્યાં પોલીસ અને મહાનગરપાલિકાના કર્મચારીને ફરજ સોંપવામાં આવશે. આ પછી પણ ત્યાં જો ધંધાર્થી દબાણ કરશે તો ચોકીમાં ફરજ બજાવતા કર્મચારીની જવાબદારી રહેશે.

આમ ત્રણેક દિવસ પછી બર્ધનચોકની ટ્રાફિક સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ આવી જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh