Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોટી વાવડીની જમીન અંગેના બનાવટી કરાર કેસમાં એકના જામીન મંજૂર

છેતરપિંડી-વિશ્વાસઘાતની કરાઈ હતી ફરિયાદઃ

જામનગર તા.૭ : કાલાવડના મોટી વાવડી ગામમાં આવેલી ખેતીની જમીન અંગે બનાવટી વેચાણ કરાર કરી આપનાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરાયા પછી એક આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી અરજી મંજૂર રાખવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસે રહેતા રાજાભાઈ દેવાભાઈ નંદાણીયાને કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામની એકવીસ વીઘા જમીન વેચાતી લેવી હતી. તેથી દલાલ રમેશ કરમુર અને ઘનશ્યામસિંહ સોઢા તથા મનસુખ ભીખાભાઈએ જમીનના મૂળ માલિક અશોક ભાઈ અને દેવશીભાઈ દોંગાની જાણ બહાર ખોટા દસ્તાવેજ કરી બનાવટી વેચાણ કરાર કરી નાખ્યાની અને રૂ.૧૭ લાખ ૧૧ હજાર મેળવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

આ ગુન્હાની તપાસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના મનસુખ ભીખાભાઈએ જામીન મુક્ત થવા હાઈકોર્ટમાં અરજી કરતા તેને રૂ.૧૦ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, મીત પાનસુરીયા, ચિરાગ સોનગરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh