Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં ૨૫૦થી વધુ શિક્ષકોની ઉપસ્થિતિમાં 'શિક્ષણ વિમર્શ'

કાર્યક્રમમાં વિવિધ વિષયો પર મનનીય પ્રવચન સાથે

જામનગર તા. ૭: ગુજરાતી કેળવણી પરિષદ અમદાવાદ અને જામનગર કેન્દ્રના સંયુકત ઉપક્રમે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગરના સહયોગથી એક દિવસીય *શિક્ષણ વિમર્શ* કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર શહેર જિલ્લાના ૨૫૦ થી વધારે શિક્ષકો હાજર રહૃાાં હતાં.

કાર્યક્રમના પ્રારંભમાં વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગરએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સૌ વક્તાઓનું સૂત્ર માળા અને ખેસથી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે બાળ વાર્તા દ્વારા શિક્ષણ વિષયે ગીરાબેન ભટ્ટ, મારી શાળાને મેં ઉત્તમ કેવી રીતે બનાવી એ વિષયે મહિપાલસિંહ જેતાવત તથા માણસાઈની કેળવણી વિષયે મનસુખભાઈ સલ્લાએ પ્રવચન આપ્યાં હતાં.

કાર્યક્રમનું સંચાલન સંયોજક દર્શનબેન પટેલ અને પાર્થ પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા. પ્રભુભાઈ ચાંદ્રા, આશરભાઈ, ડો ભંડેરી, કાનાણીભાઈ,  વાદીભાઈ, વસોયાભાઈ, દિલીપભાઈ વ્યાસે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh