Advertisement
Author: નોબત સમાચાર

અંધજન વિવિધ લક્ષી તાલીમ કેન્દ્રના પ૬મા સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા. ૯-ફેબ્રુઆરીએ

જામનગર તા. ૭: નેત્રહિનો તથા અન્ય દિવ્યાંગજનોના શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષના ક્ષેત્રમાં છેલ્લા પ૬ વર્ષોથી પ્રવૃત્ત અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ તા. ૯-ર-ર૦રપ ના સવારે ૧૧ વાગ્યે અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર, એરોડ્રામ રોડ, જામનગરમાં યોજવામાં આવશે.

જેમાં શૈક્ષણિક અને ઔદ્યોગિક સ્પર્ધાના વિજેતાઓને ઈનામ અર્પણ, ગુજરાત રાજયમાં ધોરણ-૧૦ અને ૧ર ની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર નેત્રહિનોને પુરસ્કાર અર્પણ તેમજ સહયોગ આપનાર શૈક્ષણિક સંસ્થાઓનું અભિવાદન અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

પ્રમુખ ચંદુલાલ રાયચંદ શાહના અધ્યક્ષપદે યોજાનાર આ કાર્યક્રમમાં મહેમાન તરીકે એચ.એમ. રામાણી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જામનગર), વિકાસ સારસ્વત (ચીફ જનરલ મેનેજર, વેસ્ટર્ન રીઝન પાઈપલાઈન્સ પ્રોજેક્ટ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ, વાડીનાર), આદેશકુમાર વી. મહેતા (ટ્રસ્ટી - વિકમશી પદમશી સંઘવી ટ્રસ્ટ, જામનગર) ઉપસ્થિત રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh