Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા સાડા આઠ લાખની છેતરપિંડીનો મામલોઃ
જામનગર તા.૭ : જામનગરના એક આસામીને ફ્રીઝ થયેલુ બેંક એકાઉન્ટ ખોલવા માટે પૈસા આપવાનું કહી લાલચ બતાવી એક શખ્સે રૂપિયા સાડા આઠ લાખ મેળવી લીધા હતા. તેની ફરિયાદ થયા પછી આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે ફગાવી દીધી છે.
જામનગરના બેડેશ્વર નજીક આવેલા વીર સાવરકર આવાસ માં વસવાટ કરતા પરેશ સાહેબ રાવ બરડે નામના આસામી પાસેથી ફ્રીઝ થયેલુ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પૈસાની જરૂર હોવાનું કહી અને આપેલી રકમથી વધુ રૂ.પ લાખ આપવાનું કહી શૈલેન્દ્રસિંગ નિર્બન નામના શખ્સ સામે રૂ. સાડા આઠ લાખ મેળવી લીધા હતા. તે રકમની ઠગાઈ કરાયા ની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન આરોપી શૈલેન્દ્રસિંગ સુરેન્દ્રસિંગે આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા અદાલતે તેની અરજી નામંજૂર રાખી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ લખધીરસિંહ ગોહિલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial