Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નિમાયા મનોજ કથીરિયા

જીવણભાઈ કુંભરવડીયાના સ્થાને

જામનગર તા. ૧૫ઃ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ કથીરિયાની નિમણૂક કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી વેણુગોપાલ દ્વારા આજે રાજ્યના ૧૩ જિલ્લા - શહેર - કોંગ્રેસના ગામોમાંથી વરણી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે મનોજ ગોરધનભાઈ કથીરિયાની નિમણૂક કરવામાં આવી છે. હાલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા હતા. તેમના સ્થાને મનોજ કથીરિયાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગત વખતે જામનગર મહાનગર-પાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમનો પરાજય થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh