Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ખેતીનિયામક પાસેથી છેલ્લા ચાર વર્ષના પાકવીમાના હિસાબો માંગ્યાઃ
ખંભાળિયા તા. ૧પઃ કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ ગુજરાતમાં પાકવીમામાં રૃા. ૩પ થી ૪૦ હજાર કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગુજરાત રાજ્ય કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ગઈકાલે ધારાસભ્યો સાથે રાજ્યના ખેતી નિયામકને રૃબરૃ મળીને છેલ્લા ચાર વર્ષના પાક વીમાના હિસાબો તથા પત્રકો જાહેર કરવા સાથે ૩પ થી ૪૦ હજાર કરોડનો પાકવીમામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા ભારે ચર્ચા જાગી છે, અને ખળભળાટ મચી ગયો છે.
રાજ્યના ખેતી નિયામકશ્રીને ર૦૧૬-૧૭ થી ર૦૧૯/ર૦ સુધીના પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના દરેક ઋતુ તથા દરેક પાકના કાપણી અખતરા તથા પત્રકો માંગ્યા છે. આ ચાર વર્ષના સમયગાળામાં ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક દુષ્કાળ, ક્યાંક અછતગ્રસ્ત વિસ્તારો જાહેર કરવા વિગેરે થયું હતું.
ર૦ર૦/ર૧ થી પ્રધાનમંત્રી ફસલ યોજના પૂરી થઈ ગઈ જેને ત્રણ-ત્રણ વર્ષ થવા છતાં પત્રકો આપવામાં આવતા નથી. કિસાન કોંગ્રેસ રાજ્ય પ્રમુખ પાલભાઈ આંબલિયા સાથે ધારાસભ્યો ઈમરાન ખેડાવાલા, અરવિંદ લાડાણી, કિરીટ પટેલ તથા અનંત પટેલ પણ જોડાયા હતાં.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે જો પાક કાપણીના અખતરાના પત્રકો જાહેર થાય તો ૩પ થી ૪૦ હજાર કરોડનો મોટો ભ્રષ્ટાચાર સામે આવે તેથી સરકાર પત્રકો જાહેર કરતી નથી. આર.ટી.આઈ.માં માહિતી ફરજિયાત હોવા છતાં તેમાં પણ પત્રકોની વિગતો અપાતી નથી. ધારાસભ્યોને જિલ્લા સંકલન સમિતિમાં પણ આ વિગતો અપાતી નથી. આર.ટી.આઈ.માં માંગતા રાષ્ટ્રીય સલામતીની વિવિધ કલમો દર્શાવી માહિતી અપાતી નથી કેમ કે માહિતી જાહેર થાય તો આ પાકવીમા યોજનામાં ગુજરાતમાં ૩પ થી ૪૦ હજાર કરોડનો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial